રાજકોટના આજીડેમ ચોકડી પાસે મોટી દુર્ઘટના, વરસાદી માહોલ વચ્ચે ઓવરબ્રિજની દીવાલ ધરાશાયી થતાં 2 લોકોના મોત..

રાજકોટ,

રાજકોટના આજી ડેમ ચોકડી પાસે આવેલા ઓવલા ઓવર બ્રીજની એક તરફની દિવાલ ધરાશાયી થઈ છે. જ્યારે દિવાલ ધરાશાયી થતાં બે લોકોના મોત થયા છે. અને ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો છે. અને

બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. ફાયરની ટીમ દ્વારા બે ડેડબોડી બહાર કાઢવામાં આવી છે. અને બંને લાશ સિવિલ ખાતે ખસેડવામાં આવી છે. રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર આજી ડેમ ચોકડી પાસે આવેલા ઓવરબ્રિજની સપોર્ટ દિવાલ ધરાશાયી થયું છે.

ફાયરના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બે લાશ બહાર કાઢવામાં આવી છે. હાલ, અન્ય કોઈ લોકો દટાયા છે કે નહીં, તે માટે જેસીબીથી કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો છે. ઘટનાને પગલે લોકો પણ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા છે.

કાટમાળ નીચેથી એક એક્ટિવા સહિત બે વાહનો કાટમાળ નીચેથી બહાર કાઢવામાં આવ્યા છે. અને જ્યારે આ આજીડેમ ચોકડી પાસે લગાવેલ સીસીટીવી કેમેરામા ઓવરબ્રિજ ધરાશાયીના થયાના દ્રશ્ય સીસીટીવી ફૂટેજ આવ્યા સામે.

રિપોટર : વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ

Related posts

Leave a Comment